16મી સદી મોટાભાગે પોર્ટુગીઝ શાસનનો સમયગાળો હતો જ્યારે ભારતીય જળસીમામાં તેનો વ્યવસાયિક અધિપત્ય હતું. તેમ છતાં આ સમયગાળામાં ગુજરાતના અર્થતંત્રને ચાર ચાંદ લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન ગુજરાતનો મધ્ય-પૂર્વ અને યુરોપ સહિતના દેશો સાથેના વ્યાપારમાં વધારો થયો હતો.
આ સમયગાળા દરમિયાન ગુજરાતના તેજાના, હાથબનાવટની વસ્તુઓ, કળાકૃત્તિઓની વિદેશમાં ખૂબ માંગ નીકળી હતી. ગુજરાતના મોટાભાગના જહાજો ખંભાતના અખાત થકી દરિયાઈ માર્ગે યુરોપ અને મધ્ય-પૂર્વ સહિત છેક આફ્રિકાના દેશો સુધી સ્થાનિક પેદાશોની નિકાસ કરવા હંકારતા હતા.
- ગુજરાતનો વેપાર મધ્ય-પૂર્વ અને આફ્રિકન દેશો સાથે વિકસ્યો હતો
- ગુજરાતના ખંભાત, ભરૂચ સહિતના બંદરો મુખ્ય વ્યાપારી કેન્દ્ર હતા
- વહાણો ભરીને સોનુ અને હાથીદાંત વગેરે ગુજરાત પણ આવતા હતા
હાલના સમયે ઝાંઝિબાર, પેમ્બા, કિલવા વગેરે સાથે આફ્રિકાના દેશોમાં વસવાટ કરનારા ગુજરાતીઓ એ બાબતને સમર્થન આપે છે તે 16મી સદીમાં આ દેશો સાથેના વ્યાપારીસંબંધોને કારણે તેઓ અહીં સ્થાયી થયા છે.
નોંધનીય છે કે ઇતિહાસની નોંધ અનુસાર કાનજી માલમ નામના ગુજરાતી ખલાસીએ વાસ્કો-દા-ગામાને (સમયગાળો 1497-98) દરમિયાન ઇસ્ટ આફ્રિકાના બંદર મલાન્ડીથી ભારતના કાલિકટ બંદર સુધીનો દરિયાઈ માર્ગ દર્શાવવામાં સહાયતા કરી હતી. આ સમયે કાલિકટ બંદર એ આરબ, હિન્દુ અને ચાઇનીઝ વેપારીઓ માટે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું.
આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્તરે જહાજ બાંધવાનો વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો હતો. 15મી સદીમાં ભારતની મુલાકાત લેનારા અબ્દુર રઝાક, નિકોલો કોન્ટી સહિતના વિદેશી પ્રવાસીઓએ પણ ગુજરાતની સમૃદ્ધિ તથા ગુજરાતીઓની વેપારવૃતિ, કૌશલ્ય વગેરેના પણ વખાણ કરીને પોતાની નોંધમાં તેનો ઉલ્લેખ કર્યો હોવાનું જોવા મળે છે.
ઇસ્ટ આફ્રિકા, રાતા સમુદ્ર તથા પર્શિયલ ગલ્ફથી ગુજરાત આવનારા વેપારી જહાજો સોનું, હાથીદાંત, અન્ય મૂલ્યલાન ધાતુ વગેરે જેવા માલથી લદાયેલા રહેતા હતા. આ ઉપરાંત શ્રીલંકા સાથે પણ કપાસ, વસ્ત્રો વગેરેનો વેપાર ચાલતો હતો.
ગુજરાતના સત્તાધિશોએ પણ જે તે સમયે આ બાબતને ધ્યાને લઇને ગુજરાતમાં સ્થાનિક સ્તરે વેપાર કળા કૌશલ્ય વિકસે તે માટે ધ્યાન આપ્યું હતું. ગુજરાતની નિકાસમાં વધારો થાય તે માટે કુશળ કારીગરોને તૈયાર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ પણ સિકંદર માન્ઝુ દ્વારા 1612માં સંકલિત મિરાત-એ-સિકંદરમાં વાંચવા મળે છે.
આ ઉપરાંત ખંભાત તથા ભરૂચ બંદરેથી અકિકના મૂલ્યવાન પથ્થર તથા તેનાથી બનાવવામાં આવેલા ઘરેણાં પણ વિપુલ પ્રમાણમાં નિકાસ કરવામાં આવતા હતા.
આ સમયગાળા દરમિયાન ગુજરાતના તેજાના, હાથબનાવટની વસ્તુઓ, કળાકૃત્તિઓની વિદેશમાં ખૂબ માંગ નીકળી હતી. ગુજરાતના મોટાભાગના જહાજો ખંભાતના અખાત થકી દરિયાઈ માર્ગે યુરોપ અને મધ્ય-પૂર્વ સહિત છેક આફ્રિકાના દેશો સુધી સ્થાનિક પેદાશોની નિકાસ કરવા હંકારતા હતા.
- ગુજરાતનો વેપાર મધ્ય-પૂર્વ અને આફ્રિકન દેશો સાથે વિકસ્યો હતો
- ગુજરાતના ખંભાત, ભરૂચ સહિતના બંદરો મુખ્ય વ્યાપારી કેન્દ્ર હતા
- વહાણો ભરીને સોનુ અને હાથીદાંત વગેરે ગુજરાત પણ આવતા હતા
હાલના સમયે ઝાંઝિબાર, પેમ્બા, કિલવા વગેરે સાથે આફ્રિકાના દેશોમાં વસવાટ કરનારા ગુજરાતીઓ એ બાબતને સમર્થન આપે છે તે 16મી સદીમાં આ દેશો સાથેના વ્યાપારીસંબંધોને કારણે તેઓ અહીં સ્થાયી થયા છે.
નોંધનીય છે કે ઇતિહાસની નોંધ અનુસાર કાનજી માલમ નામના ગુજરાતી ખલાસીએ વાસ્કો-દા-ગામાને (સમયગાળો 1497-98) દરમિયાન ઇસ્ટ આફ્રિકાના બંદર મલાન્ડીથી ભારતના કાલિકટ બંદર સુધીનો દરિયાઈ માર્ગ દર્શાવવામાં સહાયતા કરી હતી. આ સમયે કાલિકટ બંદર એ આરબ, હિન્દુ અને ચાઇનીઝ વેપારીઓ માટે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું.
આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્તરે જહાજ બાંધવાનો વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો હતો. 15મી સદીમાં ભારતની મુલાકાત લેનારા અબ્દુર રઝાક, નિકોલો કોન્ટી સહિતના વિદેશી પ્રવાસીઓએ પણ ગુજરાતની સમૃદ્ધિ તથા ગુજરાતીઓની વેપારવૃતિ, કૌશલ્ય વગેરેના પણ વખાણ કરીને પોતાની નોંધમાં તેનો ઉલ્લેખ કર્યો હોવાનું જોવા મળે છે.
ઇસ્ટ આફ્રિકા, રાતા સમુદ્ર તથા પર્શિયલ ગલ્ફથી ગુજરાત આવનારા વેપારી જહાજો સોનું, હાથીદાંત, અન્ય મૂલ્યલાન ધાતુ વગેરે જેવા માલથી લદાયેલા રહેતા હતા. આ ઉપરાંત શ્રીલંકા સાથે પણ કપાસ, વસ્ત્રો વગેરેનો વેપાર ચાલતો હતો.
ગુજરાતના સત્તાધિશોએ પણ જે તે સમયે આ બાબતને ધ્યાને લઇને ગુજરાતમાં સ્થાનિક સ્તરે વેપાર કળા કૌશલ્ય વિકસે તે માટે ધ્યાન આપ્યું હતું. ગુજરાતની નિકાસમાં વધારો થાય તે માટે કુશળ કારીગરોને તૈયાર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ પણ સિકંદર માન્ઝુ દ્વારા 1612માં સંકલિત મિરાત-એ-સિકંદરમાં વાંચવા મળે છે.
આ ઉપરાંત ખંભાત તથા ભરૂચ બંદરેથી અકિકના મૂલ્યવાન પથ્થર તથા તેનાથી બનાવવામાં આવેલા ઘરેણાં પણ વિપુલ પ્રમાણમાં નિકાસ કરવામાં આવતા હતા.
No comments:
Post a Comment