ટેંક કંટ્રોલ ઓફ યોર લાઇફ’ શીર્ષક છે. ડૉ.. રીચર્ડ શૂપના પુસ્તકનું. એમ તો દરેક વ્યક્તિ પોતાની રીતે જીવે છે પણ બહુ ઓછા એવા હોય છે જે જીવનની ગતિ પર કાબૂ મેળવી શકે. નસીબની પકડમાંથી મુક્ત થતા જીવનને આકાર આપવાની યોજના કેમ ઘડવી તે આ પુસ્તકનો હેતુ છે.ઘટનાઓ પર ભલે આપણો કંટ્રોલ ન હોય પણ આપણી પ્રતિક્રિયા પર જરૂર કાબૂ રાખી શકાય છે. નસીબ અને કર્મ વિરોધાભાસી શબ્દો છે. એક નિષ્ક્રિયતા અને બીજો પ્રવૃત્તિ દર્શાવે છે. જો બધું જ પૂર્વ નિશ્વિત હોય અને જો તેની સચોટ આગાહી કરી શકાય તો જીવન કેટલું નીરસ બની જાય! ઉતાર-ચડાવ જીવનની વાસ્તવિકતા છે. નિષ્ફળતા હંમેશાં ખરાબ હોય તે જરૂરી નથી, ક્યારેક એમાં સફળતાનાં બીજ હોય છે.
જેને તમે બદનસીબી માનતા હો તેવી ભૂતકાળની ઘટનાઓનું તટસ્થતાથી વિશ્લેષણ કરશો તો આ સત્ય સમજાશે. મધ્યયુગના યુરોપમાં નસીબનું ચક્ર ‘વ્હીલ ઓફ ફોચ્યુંન’ કહેવાયું અને આપણી ખામીઓને છુપાવવા નસીબ પર દોષારોપણ થવા લાગ્યું. નસીબ પર સંપૂર્ણ આધાર રાખનાર વહેમી બની જતાં હોય છે. એક વાત યાદ રાખવી જરૂરી છે કે કર્મ વિના સારું નસીબ પણ નકામું છે.
જે ક્ષેત્રમાં પ્રગતિ કરવા માગો છો તે ક્ષેત્રનું પૂરેપૂરું જ્ઞાન મેળવવું જરૂરી છે. જ્ઞાનથી નવી તકો ઊભી થાય છે અને નસીબ ખૂલે છે. જો વિષયનું જ્ઞાન હશે તો કામમાં સહજતા આવશે. સર્જન કરતો કલાકાર કે ઉચ્ચ કક્ષાનો રમતવીર જ્યારે શ્રેષ્ઠતાનાં શિખર પર હોય છે ત્યારે એના પ્રયાસમાં આવી સહજતા જોવા મળે છે. આ સિદ્ધાંત જોબ કે વ્યવસાયના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. નિર્ણયો વિનાનું જીવન સ્થગિત થઇ જાય છે. સાચા નિર્ણય માટે પણ જ્ઞાન કે માહિતી જરૂરી છે.
આપત્તિના સમયે આપણે ઝડપી નિર્ણય લઇ શકીએ છીએ પણ સામાન્ય સમયમાં નિર્ણય લેતા અચકાઇએ છીએ. તે સમયે નિષ્ફળતા અને બીજાઓના વિચારોના ભયથી આપણે નિર્ણય લેવાનું ટાળતા રહીએ છીએ. એ યાદ રાખો કે તમારા નિર્ણયોની સ્વીકૃતિ તમારે પોતે જ આપવાની છે. માટે તમને જે યોગ્ય લાગે તે કરવાનો આગ્રહ રાખો. ભૂતકાળને ભૂલી જઇ ભવિષ્યમાં જે કરવા માગો છો તેને લગતા નિર્ણયોની સૂચિ બનાવી તેનો અમલ કરો.
આપણી ઇચ્છાપૂર્તિમાં સૌથી મોટો અવરોધ આપણે પોતે જ બનતા હોઇએ છીએ. આપણે પોતે જ પ્રગતિની સીમાઓ નક્કી કરી લેતા હોઇએ છીએ. સારી અને ખરાબ બંને ઘટનાઓમાંથી કંઇક શીખો અને હતાશ થયા વિના કર્મ કરતા રહો. તમારા જીવનનું નેતૃત્વ બીજાઓના હાથમાં ન મૂકો.‘
જેને તમે બદનસીબી માનતા હો તેવી ભૂતકાળની ઘટનાઓનું તટસ્થતાથી વિશ્લેષણ કરશો તો આ સત્ય સમજાશે. મધ્યયુગના યુરોપમાં નસીબનું ચક્ર ‘વ્હીલ ઓફ ફોચ્યુંન’ કહેવાયું અને આપણી ખામીઓને છુપાવવા નસીબ પર દોષારોપણ થવા લાગ્યું. નસીબ પર સંપૂર્ણ આધાર રાખનાર વહેમી બની જતાં હોય છે. એક વાત યાદ રાખવી જરૂરી છે કે કર્મ વિના સારું નસીબ પણ નકામું છે.
જે ક્ષેત્રમાં પ્રગતિ કરવા માગો છો તે ક્ષેત્રનું પૂરેપૂરું જ્ઞાન મેળવવું જરૂરી છે. જ્ઞાનથી નવી તકો ઊભી થાય છે અને નસીબ ખૂલે છે. જો વિષયનું જ્ઞાન હશે તો કામમાં સહજતા આવશે. સર્જન કરતો કલાકાર કે ઉચ્ચ કક્ષાનો રમતવીર જ્યારે શ્રેષ્ઠતાનાં શિખર પર હોય છે ત્યારે એના પ્રયાસમાં આવી સહજતા જોવા મળે છે. આ સિદ્ધાંત જોબ કે વ્યવસાયના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. નિર્ણયો વિનાનું જીવન સ્થગિત થઇ જાય છે. સાચા નિર્ણય માટે પણ જ્ઞાન કે માહિતી જરૂરી છે.
આપત્તિના સમયે આપણે ઝડપી નિર્ણય લઇ શકીએ છીએ પણ સામાન્ય સમયમાં નિર્ણય લેતા અચકાઇએ છીએ. તે સમયે નિષ્ફળતા અને બીજાઓના વિચારોના ભયથી આપણે નિર્ણય લેવાનું ટાળતા રહીએ છીએ. એ યાદ રાખો કે તમારા નિર્ણયોની સ્વીકૃતિ તમારે પોતે જ આપવાની છે. માટે તમને જે યોગ્ય લાગે તે કરવાનો આગ્રહ રાખો. ભૂતકાળને ભૂલી જઇ ભવિષ્યમાં જે કરવા માગો છો તેને લગતા નિર્ણયોની સૂચિ બનાવી તેનો અમલ કરો.
આપણી ઇચ્છાપૂર્તિમાં સૌથી મોટો અવરોધ આપણે પોતે જ બનતા હોઇએ છીએ. આપણે પોતે જ પ્રગતિની સીમાઓ નક્કી કરી લેતા હોઇએ છીએ. સારી અને ખરાબ બંને ઘટનાઓમાંથી કંઇક શીખો અને હતાશ થયા વિના કર્મ કરતા રહો. તમારા જીવનનું નેતૃત્વ બીજાઓના હાથમાં ન મૂકો.‘
No comments:
Post a Comment