Thursday, 1 December 2011

કંઇક આવો સંબંધ હોય છે પતિ - પત્નીનો...

શ્રી રામને વનવાસ જાવાનું હતું. તેઓ ચાહતા કે સીતાજી,માં કૌશલ્યાની જોડે રોકાઇ જાય.પણ સીતાજી રામની સાથે જાવા માંગતી હતી.

કૌશલ્યાજી પણ મન હતું કે સીતાજી એમની પાસે જ રોકાઇ જાય.સાસુ, વહુ, છોકરો આમ ત્રણેયનો ત્રિકોણ રચાઇ ગયો.

દુનિયામાં આ સંબંધોએ ઘણાના ઘર બનાવ્યા અને તોડાવ્યા.પરંતુ રામની ધીરજ, સીતાની સમજ અને કૌશલ્યાજીની સમજે રઘુવંશનો

ઇતિહાસ બદલી નાખ્યો. આપણા આ અવતારોની આ ઘટના આપણને જીવનમાં નાની -નાની બાબતો વિશે મોટા સંદેશા આપે છે.

આપણા પરિવારોમાં સાસુ - વહુ, પતિ - પત્નીના સંબંધોમાં જે વિચ્છેદ લાવે છે એ મોટો મનોવૈજ્ઞાનિક સંકેત છે

જયારે કોઇ પરિવાર કોઇની પર નિર્ભર રહે છે તો તે કુંટુંબના સભ્યને લાગે છે કે અમે તેની જરૂરિયાત પુરી કરીએ છીએ.મા- બાપ

છોકરાઓને મોટા કરે છે તો એ એટલે પ્રસન્ન રહે છે કે છોકરાઓ તેમની પર નિર્ભર રહે. જેમ જ છોકરાઓ મોટા થઇ જાય તો એ પોતાના

કામ જાતે કરવા લાગે છે. એમના પોતાના સંસારમાં ઓતપ્રોત થઇ જાય છે, હવે તેઓ માતા -પિતા પર નિર્ભર નથી રહેતા. ત્યાં એક

મનોવૈજ્ઞાનિક અંદરનો વિરોધ થાવા લાગે છે.

સાસુ - વહુના ઝઘડાનું કારણ એ પણ છે કે સાસુ વિચારે છે કે આ મારો છોકરો જે હંમેશા મારા પર નિર્ભર છે, મને એને બુધ્ધિમાન

બનાવતા 25 વર્ષ લાગ્યા એ આજે નવી વહુના ચક્કરમાં પાંચ મિનિટમાં બુધ્ધુ બની ગયો. જે છોકરો હંમેશા મારા પર નિર્ભર હતો એ

આજે આની પર નિર્ભર થઇ ગયો.આજ પરિસ્થિતિ પતિ - પત્નીમાં હોય છે. દામ્પત્યનો આધાર પ્રેમ હોવો જોઇએ.

આપણે પહેલા વાત કરી ચુક્યા છે તેમ જે પરિવારના કેન્દ્રમાં પ્રેમ હશે તે પરિવાર નિરઅભિમાની હોય છે.જેમાં નાન-મોટા એમ નથી હોતુ અને વિરોધની દરેક સંભાવના સમાપ્ત થઇ જાય છે.

No comments:

Post a Comment