Thursday, 1 December 2011

આફત જાપાનની અને બોધપાઠ આપણો

આટલી આફતો છતાં જાપાની પ્રજા શાંતિ, સંયમ અને મક્કમતાથી સાથે મળીને તેનો સામનો કરી રહી છે. આપણા સમાજે જાપાનીઓ પાસેથી આ શિસ્ત શીખવા જેવું છે.

ભારત સરકારે પોતાના તમામ અણુ મથકોની સજ્જતા અને સલામતી નવેસરથી ચકાસવા માટે નિષ્ણાતોની સમિતિ નીમી દીધી છે. રેડિએશનનું પ્રમાણ વધે તો જાપાનની આજની જ નહીં પણ આવતી બે-ત્રણ પેઢી સુધી તેનો ત્રાસ ભોગવવો પડશે.

કામ કરો, આફત સામે ઊભા રહો અને શિસ્ત જાળવો. તે જાપાની સમાજનો જીવનમંત્ર આપણે અપનાવવા જેવો છે. વ્યક્તિની અને સમાજની પરીક્ષા તો આફત વખતે જ કરી શકાય છે. રાબેતા મુજબના જીવતરમાં તો સહુ પોતાનો દેખાવ સાચવી શકે છે. જીવલેણ આફત વખતે જ આપણો અસલી ચહેરો બહાર આવે છે.

No comments:

Post a Comment