"દિમાગ અને દિલમા ફ્કત એટલો જ તફાવત છે, જેટવો ઈનબોક્સ અને ફોનબુક મા, ફોનબુક હજારો મળે છે, પરંતુ ઈનબોક્સમા ફ્કત પોતાના જ હોય છે."
Monday, 9 December 2013
કોણ છે હિન્દુ ? હિન્દુત્વનો અર્થ શું છે ? ભાગ ૨
હિંદુ ધર્મનો વિશ્વ વિખ્યાત મહાન ગ્રંથ ગીતા
માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ દ્વારા વિશ્વને અપાયેલો અનુપમ ઉપહાર એટલે ગીતા. સમગ્ર વિશ્વમાં ગીતા નામના ગ્રંથને નિર્વિવાદ રૂપે સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એકમાત્ર ગીતામાં જ સમસ્ત ધર્મો અને માનવજીવનનો સાર સમાયેલો છે. આટલા નાના આકારમાં આટલું વિશાળ, વ્યાપક અને ગંભીર શાશ્વત જ્ઞાન પ્રદાન કરનાર અન્ય કોઈ ગ્રંથ નથી.
ગીતામાં સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ ગ્રંથોનો નિચોડ સમાયેલો છે. ગીતા સાથે તુલના કરવામાં આવે, તો તેની સામે સમસ્ત સંસારનું જ્ઞાન તુચ્છ છે. ગીતામાં જીવન પ્રબંધનગીતા એક ઉચ્ચકોટિનું દર્શનશાસ્ત્ર છે. માનવજીવનના સર્વોત્તમ સદઉપયોગ દર્શાવનાર ગીતા જેવા અન્ય ગ્રંથો વિશ્વભરમાં ઉપલબ્ધ નથી.
માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ચાહે કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયને માનનારો વ્યક્તિ હોય, તેણે જીવનમાં એક વખત ગીતાનું પૂર્ણ મનોયોગથી અધ્યયન કરવું જોઈએ. ગીતામાં નિશ્વિતરૂપથી માનવજીવનની સમસ્ત સમસ્યાઓનું અંતિમ અને સ્થાયી સમાધાન નિહિત છે.
હિંદુ ધર્મના આધાર ગ્રંથ વેદ:----
હિંદુ ધર્મના પ્રામાણિક અને મૂળ ધર્મ ગ્રંથ વેદ છે. વેદનો અર્થ છે જ્ઞાન અથવા વિવેક. વેદ માનવ રચિત નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા સુપાત્ર, યોગ્ય ઋષિ-મુનિઓને નિ:શબ્દ વાણીમાં પ્રદાન કરાયેલી અનુભૂતિઓનો લિપિબદ્ધ સંગ્રહ છે.
વેદોની સંખ્યા ચાર છે. જેના નામ આ પ્રકારે છે - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તમામમાં ઋગ્વેદ સૌથી વધારે પ્રાચીન છે. ઋગ્વેદ સર્વકલ્યાણકારી પ્રાર્થનાઓનો સંગ્રહ છે. યજુર્વેદમાં યજ્ઞના વિધાનો અને કર્મકાંડનું વિવર છે. સામવેદમાં ઋગ્વેદની પસંદ કરાયેલી ઋચાઓને સંગીતબદ્ધ કરાઈ છે. જેનો વિશેષ યજ્ઞ પ્રસંગે સસ્વર સંગીતમય પાઠ કરવામાં આવે છે.
સામવેદ વિભિન્ન રાગ-રાગિણીઓનું ઉદગમ છે. અથર્વવેદ નીતિ સંબંધી સિદ્ધાંતોનું સંકલન છે. તેમાં આયુર્વેદ, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, આયુ અને વૃદ્ધિ સંબંધી તથ્યોનું વિસ્તૃત વિવરણ છે.
હિન્દુ ધર્મમાં અવતારની પરંપરા
હિન્દુ ધર્મમાં ઇશ્વર પૃથ્વી પર અવતર્યા હોવાની માન્યતા છે. ધરતી પર અધર્મ, અત્યાચાર તેમજ અવ્યવસ્થામાં વધારો થતાં જ ઇશ્વર મનુષ્ય રુપમાં અવતાર લે છે તેવું આ ધર્મમાં માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પરમાત્માના દસ અવતારો ગણાવવામાં આવ્યા છે, જે કંઇક આ પ્રમાણે છે :
1. મત્સ્ય અવતાર
2. કૂર્મ અવતાર
3. વારાહ અવતાર
4. નરસિંહ અવતાર
5 વામન અવતાર
6. પરશુરામ અવતાર
7. રામ અવતાર
8. કૃષ્ણ અવતાર
9. બુદ્ધ અવતાર
10 કલ્કિ અવતાર
વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ અને શિવના ઉપાસક શૈવ કહેવાય છે. કેટલાક લોક શિવ, વિષ્ણ, સૂર્ય, ગણપતિ અને અંબિકાની સંયુક્ત રીતે પંચદેવ સ્વરુપમાં ઉપાસના કરે છે. તો વળી કેટલાક લોક કોઇ પણ વિશિષ્ટ સંપ્રદાયની દીક્ષા ન લઇને માત્ર મનમાં જ ધર્મનું પાલન કરે છે. આ સિવાય પણ હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની પૂજા-ઉપાસના કરવામાં આવે છે.
શંકરાચાર્ય, રામાનુજાચાર્ય ,માધવાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે ધર્માચાર્યોએ અદ્વૈવ, વિશિષ્ટતા દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત જેવા અનેક સંપ્રદાયો ચલાવ્યા. આમાંથી જેને જે સંપ્રદાય પસંદ છે તે પ્રમાણે તે તેની ઉપાસના કરે છે.
હિન્દુ ધર્મની શીખ
1 ઇશ્વર એક છે, સર્વ શક્તિમાન છે અને સર્વસમર્થ છે.
2 એક જ ઇશ્વરને સંસારમાં અલગ-અલગ નામોથી બોલાવવામાં આવે છે. વ્યક્તિ ઇશ્વરને ભગવાન, અલ્લાહ, પરમાત્મા, વાહે ગુરુ જેવા જુદા-જુદા નામોથી સંબોધન કરે છે.
3 સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, પરોપકાર, ત્યાગ, સાદગી જેવા ઉત્તમ માનવીય આદર્શોને જીવનમાં ઉતારવા એ હિંદુ ધર્મની ઓળખ છે.
4 દરેક મનુષ્ય તેમજ અન્ય જીવોમાં પણ પોતાનું રુપ જોવું તેમજ પ્રેમ અને ભાઇચારા સાથે જીવન જીવવું એ જ મનુષ્યનો ધર્મ છે.
5 સંસારના સુખ-વૈભવ તેમજ ભોગ વિલાસ નષ્ટ થવાના છે તેમ માનીને તેમાં મન ન પરોવવું.
6 આત્માને જ પોતાનું વાસ્તવિક સ્વરુપ ગણી શારીરિક સુખ કે ભોગવિલાસમાં જીવનને વ્યર્થ ન બનાવવું.
7 અન્યોમાં દોષ ન જોતાં પોતાના દુર્ગુણોને શોધવા તેમજ દૂર કરવા.
8 આત્મા જ મનુષ્યનું વાસ્તવિક સ્વરુપ છે, આત્મા અમર છે. મૃત્યુ સમયે માત્ર શરીર બદલાય છે, આત્મા અમર તેમજ અવિનાશી છે.
9 સેવા, પરોપકાર તેમજ સદ્કર્મો દ્વારા માનવ જીવનના અંતિમ લક્ષ્યો જેવા કે પૂર્ણતા, મોક્ષ, નિર્વાણ, આત્મજ્ઞાનને પામવામાં આવે છે.
10 પૂર્ણતા, પવિત્રતા, નૈતિકતા તેમજ સાદગીપૂર્ણ જીવન જીવી જીવનના અંતિમ લક્ષ્ય માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે.
11 પોતાના અંગત લાભ કે સ્વાર્થને ભૂલી પરોપકાર તેમજ વિશ્વ કલ્યાણ માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે.
12 ગાય, ગંગા, ગીતા, ગાયત્રી, વેદ અને રામાયણ અત્યંત પવિત્ર છે તેમજ દરેક હિંદુ માટે પૂજ્ય છે.
13 માતા-પિતા, ગુરુ, વિદ્વાનો, વડીલો, સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો તેમજ આચાર્યોની સેવા અને સન્માન કરવું તે દરેક હિંદુનું કર્તવ્ય છે.
14 વ્રત, ઉપવાસ, તપ, ત્યાગ, પ્રેમ, યોગ વગેરેના માધ્યમ દ્વારા શારીરિક તેમજ માનસિક પવિત્રતા પ્રાપ્ત કરવી જોઇએ.
15 સાંસારિક જીવન અસ્થાયી છે. શરીરનું મૃત્યુ નિશ્વિત છે. માટે આત્મા તેમજ આત્મજ્ઞાનની શોધ દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment