Sunday, 11 November 2012

સ્વાભિમાન રાખો અભિમાન નહીં

સફળ થવું કોને ના ગમે! દરેક માનવી પોતપોતાના ક્ષેત્રમાં સફળતા મેળવવા મરણિયા પ્રયાસ કરતા હોય છે. પ્રયાસો અને અથાગ પરિશ્રમ સફળતા અપાવીને જ રહે છે, પણ એ સફળતાના નશામાં તમે પોતાને ના ભૂલી જતા. સફળતા જિંદગીને જીવવા જેવી બનાવે છે. હજાર કામ નહીં કરો તો ચાલશે, પણ એક કામ એવું કરજો જે તમારા નામે હોય. તમારી ખરી સફળતા એ નથી કે તમે કામને પૂરુ કર્યું પણ તમે જેનું નિર્માણ કરો છો, તે તમારા ગયા પછી જીવતુ રહે એ ખરી સફળતા છે. સફળતાની વ્યાખ્યા દરેકે પોતાની મરજી મુજબ બનાવી હોય છે. પાનના ગલ્લાથી માંડી કંપની સુધી દરેક પોતાની રીતે સફળ જ છે, પણ તે સફળતાનું મૂલ્યાંકન તેના કદ પ્રમાણે જ થાય છે. વિશ્વ વોરેન બફેટ, બિલ ગેટ્સ કે રતન ટાટાને કેમ પ્રેરણાદાયી માને છે? તેનાથી પણ વધારે પૈસા કમાવવાવાળા બિઝનેસમેનો છે. પણ જે રીતે આ લોકો કામ કરે છે તે આદર્શ છે અને તે જ એક સારા બિઝનેસમેનની શોભા છે. તમે અનન્ય, અદ્વિતીય અને અસામાન્ય છો તેવો વિશ્વાસ જગાવો અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ બનાવો. કુમાર મંગલમ બિરલા જાહેરમાં કહે છે કે આજે બિરલા ગ્રૂપે વિશ્વમાં જે પ્રતિષ્ઠા મેળવી છે તે માત્ર મારા સહકર્મચારીઓની મદદથી જ મળી છે, મારા કર્મચારીએ મારુ સોનું છે. કર્મચારીઓ માટે તેનાથી વિશેષ બીજો કોઇ પુરસ્કાર નથી. અભિમાન અને સ્વાભિમાનની વચ્ચે પાતળી ભેદરેખા છે તેને ભૂંસાતા વાર નથી લાગતી. સ્વાભિમાન જ્યારે અભિમાન બને છે ત્યારે તેનો વિકાસ પણ રૃંધાઈ જાય છે. મેં કર્યું છે તે અભિમાન છે અને આપણે કર્યું તે સ્વાભિમાન છે. સ્વામી વિવેકાનંદે વિશ્વને જ્ઞાનની ગંગા આપી છે અને તે જ્ઞાનગંગામાંથી મળેલું તેમનું એક અનમોલ વિધાન છે, 'નીતિમાન થજો, શૂરવીર બનજો, ઉદાર હ્ય્દયના થજો, જાનને જોખમે પણ વીર, ચારિત્ર્યવાન બનો' Mehul Ghavda

No comments:

Post a Comment