Sunday, 23 December 2012

30 દિવસમાં તંદુરસ્તી 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.

* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે * તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે. * થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે. * એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે. * ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો . * સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે. * પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે. * વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે. * ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે. * પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે. * સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે. * સમય ન વેડફો - મહામૂલી જણસ છે. * અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે. * દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે. * શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો. * વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી. * વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે. * ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે. * મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે. * ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે. * અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે. * સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે. * હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે. * તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે. * ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે. * રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે. દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

No comments:

Post a Comment